બ્રેકવેન પોઇન્ટ શું છે અને તેની ગણતરી કેવી રીતે કરવી?

જ્યારે એક દેશમાં રહેતા રોકાણકાર બીજા દેશ આધારિત ધંધામાં રોકાણ કરે છે, ત્યારે તેને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(સીધા વિદેશી રોકાણ) તરીકે ઓળખવામાં આવે છે.ભારતમાં એફડીઆઈ નીતિ, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા સંચાલિત વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (એફઇએમએ) 2000 હેઠળ નિયમિત કરવામાં આવે છે.

એફડીઆઈ હેઠળ, વિદેશી રોકાણકારો જ્યાં રોકાણ કરે છે તે કંપનીના એક નિશ્ચિત ટકાના માલિક છે.જો રોકાણકાર નિયત ટકા કરતા ઓછાનાં માલિક હોય, તો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ) (આઇએમએફ) તેને તેમના સ્ટોક પોર્ટફોલિયોના ભાગ રૂપે વ્યાખ્યાયિત કરે છે.રોકાણકાર માત્ર કંપનીના કેટલાક ભાગની માલિકી ધરાવે છે,તેથી તે રોકાણકારને સંપૂર્ણ નિયંત્રણ આપતું નથી. પરંતુ તે કંપનીના સંચાલન, કામગીરી અને નીતિઓને પ્રભાવિત કરવા માટે પૂરતું છે. આ રોકાણકારને વ્યવસાયમાં સ્થાયી રુચિ વિકસિત કરવાની ખાતરી કરે છે.

એફડીઆઇના કેટલાક ફાયદા અહીં જણાવેલ છે:

  1. આર્થિક વિકાસમાં વધારો

ખાનગી રોકાણ વધતી જતી નોકરી અને વેતનમાં મદદ કરે છે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. જ્યારે કોઈ રોકાણકાર ભારતમાં એક વ્યવસાય સ્થાપિત કરે છે, ત્યારે તે લોકો માટે નોકરીની તકો બનાવે છે. વિદેશી પ્રત્યક્ષ રોકાણો ઉત્પાદન, ટેકનોલોજી અને સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોને વધારવામાં મદદ કરે છે, આથી બેરોજગારીમાં ઘટાડો થાય છે અને અર્થતંત્રના વિકાસને પ્રોત્સાહન મળે છે. વિકસિત અર્થતંત્રો માટે વિદેશી સીધો રોકાણ(ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) નોંધપાત્ર છેજ્યાં કંપનીઓને તેમની વેચાણને વિસ્તૃત કરવા માટે ભંડોળ અને કુશળતાની જરૂર હોય છે.

  1. ગ્રામીણ વિસ્તારોનો વિકાસ

મોટા વિસ્તારો જેવા સંસાધનોની ઉપલબ્ધતાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે છે. તેઓ બાંધકામ માટે સ્થાનિક મજૂર, સામગ્રી અને સાધનોનો ઉપયોગ કરે છે, એફડીઆઈ આ ક્ષેત્રોને ઔદ્યોગિક ક્ષેત્રોમાં બદલવામાં મદદ કરે છે, સ્થાનિકોને રોજગાર પ્રદાન કરે છે અને અર્થવ્યવસ્થાને વધારવામાં મદદ કરે છે.

  1. નાણાં અને ટેકનોલોજીની જોગવાઈ

વિદેશી સંસ્થાઓ વિશ્વના વિવિધ ભાગોના નવીનતમ ટૂલ્સ, તકનીકીઓ અને સંચાલન પ્રથાઓને વપરાશ માટે સક્ષમ બનાવે છે. આના પરિણામે સ્થાનિક અર્થવ્યવસ્થામાં તેમનું વિતરણ થાય છે, જે અર્થવ્યવસ્થાની કાર્યક્ષમતા વધારે છે.

  1. નિકાસમાં વધારો

એફડીઆઈ દ્વારા ઉત્પાદિત માલના વૈશ્વિક બજારો હોય છે, જેના પરિણામે અન્ય દેશોની નિકાસમાં વધારો થાય છે.

  1. એક્સચેન્જ રેટની સ્થિરતા

એફડીઆઈ, વિદેશી વિનિમયના સતત પ્રવાહને સક્ષમ કરે છે. આ, સ્થિર વિનિમય દરની (એક્સચેન્જ રેટ) ખાતરી કરીને વિદેશી વિનિમય(ફોરેન એક્સચેન્જ) અનામત જાળવવા દેશની સેન્ટ્રલ બેંકને મદદ કરે છે.

  1. સ્પર્ધાત્મક બજારનું નિર્માણ

એફડીઆઈ વિદેશી સંસ્થાઓ સામેલ કરીને સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે અને ઘરેલું ઈજારો(મોનોપોલી) તોડે છે.. ખરીદદારો પાસે વિસ્તૃત શ્રેણીના સ્ટૉક્સની ઉપલબ્ધતા હોવાથી, તે સ્વસ્થ સ્પર્ધાત્મક વાતાવરણ બનાવે છે. કંપનીઓને રોકાણકારોને આકર્ષિત કરવા માટે નવીન પ્રક્રિયાઓ વધારવાની જરૂર છે.